June 16, 2024

Shahrukh Khanની તબિયતને લઈને મોટા સમાચાર, હોસ્પિટલમાંથી આપશે રજા!

અમદાવાદ: IPLની મેચ દરમિયાન અમદાવાદમાં આવેલ બોલિવુડ અભિનેતા શાહરૂખ ખાનની અચાનક તબિયત લથડી હતી. જેને કારણે તેમને અમદાવાદની કેડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ગરમી લૂ લાગવાથી સુપરસ્ટારની તબિયત બગડી હોવાનું સામે આવ્યું હતું જોકે હવે શાહરૂખ ખાનની તબિયત અંગે લેટેસ્ટ અપડેટ આવ્યા છે.

કેડી હોસ્પિટલના ડોક્ટરોની ટીમ દ્વારા શાહરૂખ ખાનનું ચેકઅપ કરવામાં આવ્યું છે. અભિનેતાની તબિયત સ્થિર હોવાનું જણાવવામાં આવ્યું છે. શાહરૂખ ખાનને 11 વાગ્યાની આસપાસ ડીસ્ચાર્જ કરવામાં આવશે. અભિનેતા કે.ડી હોસ્પિટલથી સીધા મુંબઈ એરપોર્ટ જવા રવાના થશે. શાહરૂખ સાથે તેની પત્ની ગૌરી ખાન પણ સાથે છે.

આ પણ વાંચો: પુત્રવધુએ ભોજનમાં આપ્યું ઝેર, દિયરનું મોત તો સસરાની હાલત ગંભીર

ઉલ્લેખનીય છે કે, મંગળવારના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં કોલકાતા નાઇટ રાઇડર્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે આઇપીએલની ક્વોલિફાયર મેચ રમાઇ હતી. જેમાં કેકેઆરની ટીમે શાનદાર જીત હાંસલ કરી હતી. આ દરમિયાન પોતાની ટીમને સપોર્ટ કરવા માટે અભિનેતા શાહરૂખ ખાન પણ પહોંચ્યો હતો. જોકે મેચ બાદ અચાનકથી અભિનેતા શાહરૂખ ખાનની તબિયત લથડી હતી, જે બાદ તેને અમદાવાદની કેડી હોસ્પિટલમાં દાખલ કરાયો હતો.

તમને જણાવી દઇએ કે, શાહરૂખ ખાન ITC નર્મદા હોટલમાં રોકાયો હતો પરંતુ તેની તબિયત લથડતા સારવા માટે બપોરે 3 વાગ્યાની આસપાસ કેડી હોસ્પિટલ ખસેડાયો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર, કોલકાતા નાઇટ રાઇડર્સના માલિક શાહરૂખ ખાન મંગળવારે પોતાના પુત્ર અબરામ સાથે અમદાવાદ પહોંચ્યો હતો. મેચ જોયા બાદ તે પોતાની હોટલ ખાતે પહોંચ્યો હતો પરંતુ ગઇ કાલે બપોરે ત્રણ વાગ્યાની આસપાસ તેની તબિયત બગડી હતી. જે બાદ તેને ટીમ દ્વારા કે.ડી. હોસ્પિટલ ખાતે લઇ જવાયો હતો. જ્યાં ડોક્ટરની ટીમે તેની સારવાર કરી હતી. જેમાં ડોક્ટરો અનુસાર અભિનેતાને લૂ લાગી હતી. અભિનેતાની સારવાર દરમિયાન હોસ્પિટલ બહાર પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો.