અદાણી-હિંડનબર્ગ કેસમાં ‘સુપ્રીમ’ નિર્ણય, સેબીની તપાસમાં દખલ કરવાનો સ્પષ્ટ ઇનકાર
અદાણી હિંડનબર્ગ કેસમાં સુપ્રીમ કોર્ટ આજે પોતાનો ચુકાદો આપ્યો છે. ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડની અધ્યક્ષતાવાળી બેંચે 24 નવેમ્બરે અરજીઓ પર પોતાનો ચુકાદો અનામત રાખ્યો હતો. અદાણી ગ્રૂપની કંપનીઓના મામલામાં હિંડનબર્ગ રિપોર્ટના આધારે સુપ્રીમ કોર્ટમાં અનેક અરજીઓ દાખલ કરવામાં આવી હતી. જેમાં સ્વતંત્ર અને નિષ્પક્ષ એજન્સી અથવા SIT દ્વારા સમગ્ર મામલાની તપાસ કરાવવાની માંગ કરવામાં આવી હતી. હિંડનબર્ગના રિપોર્ટમાં અદાણી ગ્રુપ પર શેરના ભાવમાં હેરાફેરીનો આરોપ લગાવવામાં આવ્યો હતો. ચુકાદો આપતા સર્વોચ્ચ અદાલતે કહ્યું હતું કે, કોર્ટ પાસે સેબીના અધિકાર ક્ષેત્રમાં હસ્તક્ષેપ કરવાની મર્યાદિત સત્તા છે. કોર્ટ સેબીની તપાસમાં દાખલ નહીં કરે, અને આ કેસની તપાસ માટે sitની જરૂર નથી. વધુમાં કોર્ટે ઉમેર્યું હતું કે, સેબી બાકીના બે કેસની તપાસ ત્રણ મહિનામાં પૂર્ણ કરે.
આ પણ વાંચો : ડ્રાઇવરોની હડતાલનો આવ્યો અંત? શું હતી તેમની માગ