Pahalgam Attack: ‘અમને હંમેશા તમારા પર ગર્વ રહેશે’, લેફ્ટનન્ટ નરવાલની પત્નીએ આપી ભાવુક વિદાય

Pahalgam Attack: જમ્મુ-કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં અત્યાર સુધીમાં 26 લોકોના મોત થયા છે. ઘાયલોની સારવાર હોસ્પિટલમાં ચાલી રહી છે. ભારતીય નૌકાદળના અધિકારી લેફ્ટનન્ટ વિનય નરવાલનું પણ મૃત્યુ થયું હતું. નોંધનીય છે કે, લેફ્ટનન્ટ નરવાલ કોચીમાં ફરજ પર તૈનાત હતા અને તેઓ રજા પર હતા અને પહેલગામ ગયા હતા. આ ઘટનામાં તેમનું પણ મૃત્યુ થયું. આ દરમિયાન, લેફ્ટનન્ટ નરવાલની પત્નીએ તેમના નશ્વર પાર્થિવ દેહને ભાવનાત્મક વિદાય આપી. લેફ્ટનન્ટ નરવાલની પત્નીએ રડતા રડતા કહ્યું, અમને હંમેશા તમારા પર ગર્વ રહેશે.
#WATCH | Delhi | Indian Navy Lieutenant Vinay Narwal's wife bids an emotional farewell to her husband, who was killed in the Pahalgam terror attack
The couple got married on April 16. pic.twitter.com/KJpLEeyxfJ
— ANI (@ANI) April 23, 2025
લેફ્ટનન્ટ નરવાલે 16 એપ્રિલના રોજ લગ્ન કર્યા હતા
નોંધનીય છે કે, લેફ્ટનન્ટ નરવાલના લગ્ન 16 એપ્રિલે થયા હતા અને તેમનું રિસેપ્શન 19 એપ્રિલે હતું. તે બે દિવસ પહેલા જ પહેલગામ પહોંચ્યા હતા. ઘરમાં ખુશીનો માહોલ હજુ ખતમ થયો નથી અને પરિવારમાં હવે શોક છવાઈ ગયો છે. નોંધનીય છે કે, આ હુમલામાં ઘણા લોકો માર્યા ગયા છે. આ હુમલા અંગે એક પછી એક ઘણી માહિતી બહાર આવી રહી છે. 26 નિર્દોષ લોકોની ક્રૂરતાથી હત્યા કરનારા ચાર આતંકવાદીઓના ફોટા જાહેર કરવામાં આવ્યા છે. મળતી માહિતી મુજબ, બે આતંકવાદીઓ પશ્તો ભાષામાં વાત કરી રહ્યા હતા. હુમલો કરનારા આ બે આતંકવાદીઓ પાકિસ્તાની હોવાનું કહેવાય છે, તેમની ઓળખ થઈ ગઈ છે.