May 21, 2024

શરમજનક…મોતની ખબર પર ખરાબ રીતે ટ્રોલ થઇ પૂનમ

અભિનેત્રી પૂનમ પાંડેના મૃત્યુના સમાચાર આવ્યાના એક દિવસ બાદ પૂનમ પાંડેએ પોતે જીવિત હોવાનો ખુલાસો કર્યો છે. તેમના મૃત્યુના સમાચાર તેમની યોજનાનો જ એક ભાગ હતો. અભિનેત્રીએ સોશિયલ મીડિયા પર એક વીડિયો જાહેર કરીને ખુલાસો કર્યો છે કે તેણે આ બધુ ડ્રામા મહિલાઓને સર્વાઇકલ કેન્સર વિશે જાગૃત કરવા માટે કર્યું હતું. હવે લોકો પૂનમના આ પગલાથી ખૂબ નારાજ છે અને તેને જોરદાર ટ્રોલ કરી રહ્યા છે.

પૂનમે સોશિયલ મીડિયા પર વીડિયોમાં કહ્યું- ‘હું તમારી સાથે કેટલીક મહત્વપૂર્ણ વાતો શેર કરવા માટે મજબૂર છું. હું અહીં છું, જીવંત. મને સર્વાઇકલ કેન્સર નથી, પરંતુ દુઃખની વાત એ છે કે આ રોગથી હજારો મહિલાઓએ જીવ ગુમાવ્યા છે કારણ કે તેની સાથે કેવી રીતે વ્યવહાર કરવો તેની માહિતીના અભાવે. કેટલાક અન્ય કેન્સરથી વિપરીત, સર્વાઇકલ કેન્સર સંપૂર્ણપણે અટકાવી શકાય તેવું છે.’

‘હવે લોકો તમને ગંભીરતાથી નહીં લે…’

હવે લોકો પૂનમ પાંડેના આ વીડિયોને લઈને સોશિયલ મીડિયા પર ગુસ્સે છે અને તેના મૃત્યુના ખોટા સમાચાર ફેલાવે છે. એક યુઝરે લખ્યું- ‘આગલી વખતે લોકો તમને ગંભીરતાથી નહીં લે, તમે તમારી આખી વિશ્વસનીયતા ખતમ કરી દીધી છે.’ અન્ય એક વ્યક્તિએ લખ્યું- ‘હું ખુશ છું કે તે જીવિત છે, પરંતુ કૃપા કરીને આ ડ્રામા અને પબ્લિસિટી સ્ટંટ માટે તેની ધરપકડ કરો.’

 

View this post on Instagram

 

A post shared by Poonam Pandey (@poonampandeyreal)

‘તે ખૂબ જ ખરાબ મજાક હતી…’

એક યુઝરે કહ્યું- ‘અત્યાર સુધીનો સૌથી ખરાબ પબ્લિસિટી સ્ટંટ.’ અન્ય એક વ્યક્તિએ કોમેન્ટ કરી, ‘શરમજનક, હવે પ્રચાર માટે મોતનો ડ્રામા થશે. તમારી ધરપકડ થવી જોઈએ. આ સિવાય એક યુઝરે લખ્યું- ‘સોશિયલ મીડિયા પર આ ડ્રામા પોસ્ટ કરતા પહેલા વિચારવું જોઇએ. તે ખૂબ જ ક્રૂર મજાક હતી.

મૃત્યુના સમાચાર 2 ફેબ્રુઆરીએ આવ્યા

તમને જણાવી દઈએ કે, 2 ફેબ્રુઆરીએ પૂનમ પાંડેની સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરવામાં આવી હતી જેમાં લખ્યું હતું કે અભિનેત્રીનું મોત સર્વાઇકલ કેન્સરથી થયું છે. આ સમાચાર પછી ફિલ્મથી લઈને ટીવી ઈન્ડસ્ટ્રી આઘાતમાં છે. જોકે, હવે પૂનમ પાંડેએ કહ્યું છે કે તેણે સર્વાઇકલ કેન્સર વિશે લોકોને જાગૃત કરવા માટે આ ખોટા સમાચાર ફેલાવ્યા હતા.