સાબરકાંઠામાં એક જ દિવસે જન્મ લેનારા જુડવા ભાઈઓની સાથે અંતિમ વિદાય

સાબરકાંઠા: સાબરકાંઠાના વડાલીમાં એક પરિવારે સામૂહિક આપઘાત કરી લેતા માતા-પિતાના મોત બાદ સારવાર હેઠળ રહેલા જુડવા ભાઈઓએ સાથે અંતિમ વિદાય લીધી છે. એક જ દિવસે જન્મ લેનારા જુડવા બે ભાઈઓની સાથે અંતિમયાત્રા નીકળતા શહેર હિબકે ચડ્યું હતું.

એકસાથે જન્મ લેનારા નીરવ તેમજ નરેન્દ્ર બંને જુડવા ભાઈઓએ આજે સાથે અંતિમ વિદાય લીધી હતી. સામૂહિક આપઘાત મામલે સગર પરિવારના બંને કુળદીપક બુજાયા છે. ત્યારે સગર સમાજના અગ્રણીઓ અંતિમ વિધિમાં જોડાયા હતા. વડાલીમાં એક પરિવારના પાંચ સભ્યોએ ઝેરી દવા ગટગટાવી આપધાતનો પ્રયાસ કર્યો હતો. જેમાં માતા-પિતા સહિત બે સગા ભાઈના મોત નીપજી ચૂક્યા છે. જ્યારે ગાંધીનગરની ખાનગી હોસ્પિટલમાં દિકરી સારવાર હેઠળ છે.