અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની પલટી, કહ્યું-મેં સીઝફાયર નથી કરાવ્યું

Indo-Pak Problem: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પહેલીવાર સ્વીકાર્યું છે કે તેમણે ભારત અને પાકિસ્તાન વચ્ચે સીઝફાયર નથી કરાવ્યું. ટ્રમ્પે કહ્યું હતું કે તેઓ મધ્યસ્થી નથી કરાવી. ટ્રમ્પે કહ્યું કે તેમણે ભારત-પાકિસ્તાન સમસ્યા ઉકેલવામાં મદદ કરી. નોંધનીય છે કે, ભારત અને પાકિસ્તાન વચ્ચે વધી રહેલા તણાવ અંગે, અમેરિકન રાષ્ટ્રપતિએ પહેલા દાવો કર્યો હતો કે તેમણે બંને દેશો વચ્ચે સીઝફાયર કરાવ્યું છે, પરંતુ હવે તેઓ પોતે કહી રહ્યા છે કે મેં સીઝફાયર નથી કરાવ્યું. હું કહેવા માંગુ છું કે મેં જરૂરી મદદ પૂરી પાડી હતી.
ટ્રમ્પે પોતાનું નિવેદન પાછું ખેંચ્યું
કતારના દોહામાં એક કાર્યક્રમ દરમિયાન ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે ભારત અને પાકિસ્તાન વચ્ચે પરિસ્થિતિ ખૂબ જ તણાવપૂર્ણ બની ગઈ છે. ડ્રોન અને મિસાઈલની ભાષામાં વાત થવાની હતી, એટલે જ મેં બંને દેશો સાથે વાત કરીને વાતાવરણ શાંત કર્યું. જોકે, અમેરિકી રાષ્ટ્રપતિએ એમ પણ કહ્યું કે મને આશા છે કે હું અહીંથી ગયા પછી પણ મને અહીં સાંભળવા મળશે કે બંને દેશો શાંતિપૂર્ણ છે.